હવામાન વિભાગે (IMD) એ કહ્યું છે કે આગામી 36 કલાકમાં વાવાઝોડુ બિપોરજોય તીવ્ર થવાનું છે. તે આગામી બે દિવસ ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. IMD એ ટ્વિટર પર જે લેટેસ્ટ માહિતી શેર કરી છે તે મુજબ બિપોરજોય સવારે 8.30 વાગે મુંબઈથી WSW માં 820 કિમી દૂર છે જ્યારે પોરબંદરથી SSW માં 830 કિમી દૂર છે. જ્યારે કરાંચીથી 1120 કિમી દૂર છે. આગામી 36 કલાકમાં તે રફતાર પકડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાનો રૂટ
હવામાન વિભાગે આ વાવાઝોડાનો એક લેટેસ્ટ ટ્રેક ટ્વિટર પર શેર કર્યો છે. જો વાવાઝોડું ટ્રેક ચેન્જ કરે તો ગુજરાતને ભારે અસર થઈ શકે તેમ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube